રાષ્ટ્રીય

September 21, 2024 7:39 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતના સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધવંન્તરીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઉપસ્થિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ માં કે નામ અભિયાન અ...

September 21, 2024 7:38 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં માઓવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે કોઈપણ લક્ષ્ય હાંસલ કરવા માટે હિંસાનો માર્ગ અપનાવવો યોગ્ય નથી. કોઈપણ સમાજમાં હિંસા સારી નથી. રાષ્ટ્રપતિ મુર્મુએ ડાબેરી આતંકવાદીઓને હિંસા છોડી દેવા વિન...

September 21, 2024 7:38 PM

આમ આદમી પાર્ટીના નેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આમ આદમી પાર્ટીનાનેતા સુશ્રી આતિષીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ રાજનિવાસ ખાતે એક સમારોહમાં આતિશી અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. AAP નેતા ગોપાલ રાય, કૈલાશ ગહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ...

September 21, 2024 7:37 PM

રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન સાથેની તેમની બેઠક ભારત અને અમેરિકાની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે.. શ્રી મોદી યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણ દિવસની મુલાકાતે છે, આજે રાત્રે ડેલાવેરના વિલ્મિંગ્ટન ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિ...

September 21, 2024 2:38 PM

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠવાડામાં ભારે વરસાદની શક્યતા છે. તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, ના...

September 21, 2024 2:38 PM

સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા

મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ આ સમયગાળા દરમિયાન, સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. દેશમાં મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે સરકારે અનેક પગલાં લીધાં છે. અમારા સંવાદદાતા જણાવે છે કે નરેન્દ્ર મોદી સરકારે ...

September 21, 2024 2:36 PM

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસુસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે

September 21, 2024 2:35 PM

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેરાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત ન...

September 21, 2024 2:33 PM

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા

સંયુક્ત રાષ્ટ્રએ ચક્રવાતી વાવાઝોડું યાગીના કારણે થયેલા નુકસાનને પગલે વિયેતનામ સરકારને 20 લાખ અમેરિકી ડોલર ફાળવ્યા છે. આ રકમ આંતરરાષ્ટ્રીય પ્રવાસીય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ આપાતકાલીન કોષ દ્વારા આપવામાં આવશે. અસરગ્રસ્ત પ્રાંતો યેન બાઈ અને લાઓ કાઈમાં ...

September 21, 2024 2:32 PM

જાપાનમાં, ભારે વરસાદને પગલે 30,000 લોકોને સ્થળાંતર કરાયા

જાપાનમાં, દેશના મધ્ય ભાગમાં આવેલા બે શહેરોના લગભગ 30,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે હવામાન વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. વાજિમા શહેરના લગભગ 18 હજાર અને સુજુ શહેરના 12 હજાર લોકોને હોન્શુ ટાપુના ઇશિકાવા પ્રાંતમાં આશ્રય લેવાનુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.