રાષ્ટ્રીય

July 27, 2024 8:31 AM

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી ...

July 26, 2024 8:20 PM

કેન્દ્ર સરકાર અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરી રહી છે

કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણનેધ્યાનમાં રાખીને અનાજના લઘુત્તમ ટેકાના ભાવ – MSP માં સતત વધારો કરીરહી છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજયસભામાં કૃષિ ઉપજોનાટેકાના ભાવો માટે કાનૂની બાંહેધરીને લગતા એક પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબજણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2013માંબાજરીની MSP એક હ...

July 26, 2024 8:14 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ...

July 26, 2024 2:04 PM

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભર બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 70 ટકા સંરક્ષણ સાધન...

July 26, 2024 2:02 PM

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપ પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ એન રાજા સુબ્રમણી, નૌકાદળના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ સ્વામીનાથન, ભારતીય વાયુ દળના ઉપપ્રખુખ એર માર્શલ એપી સિંહે અને ચીફ ઓફ સ્ટાફ સચિવ લેફ્ટન્નટ જ...

July 26, 2024 1:58 PM

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગીલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્રદળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમુર્મુ 1999માં કારગિલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે શહીદોનું આ બલિદાન અને વીરતા પ્રત્યેક નાગરિકને પ...

July 25, 2024 8:22 PM

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીકિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે. લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે, 40 દેશ ભારતીય પાસપૉર્ટધારકોનેઆગમન થતાં જ વિઝા અને 47 દેશ ઈ-વિઝાની સુવિધા આપી રહ્યા છે. શ્રી સિંહે ઉંમેર્યું કે, કેન્દ્ર સર...

July 25, 2024 8:11 PM

દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 410 વિશેષ પોક્સો અદાલત સહિત 755 વિશેષ ફાસ્ટટ્રેક અદાલત કાર્યરત્ છે

દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 410 વિશેષ પોક્સો અદાલત સહિત 755 વિશેષ ફાસટ્રેક અદાલત કાર્યરત્ છે. કેન્દ્રીય કાયદા અનેન્યાય મંત્રી અર્જૂનરામ મેઘવાલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, સરકારે દુષ્કર્મ અને જાતીય ગુનાઓથી બાળકોને બચાવવામાટે પોક્સો અધિનિયમ અંતર્ગત પડતર ...

July 25, 2024 8:05 PM

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યા છે

બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનોવચ્ચે ફસાયેલા 6 હજાર 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી સ્વદેશ પરત આવ્યાછે. નવી દિલ્હી ખાતે પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતને બાંગ્લાદેશ સરકારનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. ઢાકામાં ભારતીય હાઈકમિશનરે વિદ્યાર્થીઓને સરહદ પાર...

July 25, 2024 2:27 PM

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ- મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે

જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ-એ-મોહમ્મદના બે સુત્રધારોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બે આતંકવાદી સુત્રધારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આતંકવાદીઓને વ્યૂહાત્મક અને અન્ય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા વધુ લોકો વિશે માહિતી આપે તેવી શક્યતા છે.ગત 10 જુલાઈએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.