આંતરરાષ્ટ્રીય

August 17, 2024 8:24 PM

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા છે. લેબનોનના લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે, બુલડોઝર અને ક્રેન્સથી સજ્જ સિવિલ ડિફેન્સ અને ઇસ્લામિક હેલ્થ ઓથોરિટીની ઘણી ટીમો હજુ પણ નાશ પામેલા ઘરના કાટમાળને દૂર કરવા માટે કામ કરી રહી છે.

August 17, 2024 2:32 PM

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મહમુદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચીવ અલી ઈમામ મજૂમદાર અને બાંગ્લાદેશ રાઈફળ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આ...

August 14, 2024 2:51 PM

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશિદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય ...

August 14, 2024 2:49 PM

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે. ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશ મંત્રી ઝિંદાનીએ ભારત-યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ હાલમાં સાઉદી ...

August 13, 2024 11:04 AM

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સા...

August 13, 2024 11:01 AM

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આગથી વૃક્ષો, મકાનો અને કારોને નુકસાન થયું છે અને આગને કાબૂમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ માંગી છે. આગ બીજા દિવસે પણ કાબૂ બહાર છે. તોફાની પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી ...

August 10, 2024 8:17 PM

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને બપોરે એક વાગ્યા સુધી રાજીનામું આપવાનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત પરિસરમાં ન્યાયમૂર્તિએ માધ્યમોને જણાવ્યું કે, તે...

August 10, 2024 2:19 PM

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા. પરાનાથી સાઓ પાઉલો જઈ રહેલું વિમાન વિન્હેડો નગરનાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડતાં એક મકાનને નુકસાન થયું હતું. જોકે, ત્યાં રહેતા લોકોને કોઈ ઈજા થઈ ન હતી. ઘટના સ્થળેથી ફ્લાઇટ રેકોર્ડર મળી આવ્યું છે.

August 9, 2024 2:35 PM

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમા...

August 8, 2024 10:55 AM

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.