September 5, 2024 8:31 PM

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. સંરક્ષણ મંત્રીએ આજે લખનૌમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદના સમાપન સમારોહમાં કહ્ય...

September 5, 2024 8:30 PM

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવ...

September 5, 2024 8:29 PM

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ છે. બે જવાનોને ગોળી વાગી છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસન...

September 5, 2024 8:27 PM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિ...

September 5, 2024 8:26 PM

છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે

છેલ્લાં 10 વર્ષમાં ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 32 ગણી વધી છે અને આ ઝડપ અને વ્યાપને જોતાં દેશ 2030 સુધીમાં 500 ગિગાવોટની બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા હાંસલ કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલા બે દિવસના પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટીવલને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધતા જણાવ્યું કે, છેલ...

September 5, 2024 8:22 PM

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા

ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ભારત-સિંગાપોર સેમિ-કન્ડક્ટર ઇકો-સિસ્ટમ ભાગીદારી એમ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશો ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસીને વધુ પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન...

September 5, 2024 8:15 PM

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે.. ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી એટલે કે તા. ૦૬ થી ૦૯ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે.. આ લોકમેળો પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પ...

September 5, 2024 8:13 PM

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી ૧૩ સપ્ટેમ્બર,૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયુ...

September 5, 2024 8:12 PM

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ ૭૧૦ રૂપિયા જેટલો છે.

September 5, 2024 8:10 PM

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત જળ સંગ્રહ શકિત વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે. જેના ભાગરૂપે મહીસાગરના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે, તેમ મહિસાગર જીલ્લાના નાની સિંચાઇ વિભાગના ઇજનેર એ.આર. શાહે આ મુજબ જણાવાયું હતું..