September 6, 2024 9:34 AM

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે.તેમણે કહ્યું કે, ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને ...

September 6, 2024 9:32 AM

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ...

September 6, 2024 9:31 AM

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ છે.. કેન્દ્રશાસિત પ્રદ...

September 6, 2024 9:30 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી તેમજ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં ચાર સમજૂતીપત્રો પર પર...

September 6, 2024 9:28 AM

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. જલ શક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એકેએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીન...

September 6, 2024 8:35 AM

રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે.

રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં નવ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહેશે. ઉપરાંત, લોકકલા અને કલાકારોને...

September 6, 2024 8:33 AM

8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સંચાલિત એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલમોલોજી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં તબીબો, સામાજિક કાર્યકરો સહિત અંદાજે 500થી વધુ પ્રાથમિક શાળાના વિદ...

September 6, 2024 8:31 AM

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે, ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં એનિમિયા પર આધારિત પ્રવૃત્તિઓ, ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સહિતની કામગીરી કરવા...

September 6, 2024 8:28 AM

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી.

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ગુજકોસ્ટ આયોજિત ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલા 244 વિદ્યાર્થીઓ, 19 શિક્ષકો સહિત નાગરિકોએ ભાગ લીધો હતો. શિક્ષક દિન અંતર્ગત વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ...

September 6, 2024 8:27 AM

રાજ્યમાં ગુટકા તેમ જ તમાકું કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.

રાજ્યમાં ગુટકા તેમ જ તમાકું કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બર, 2024થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાય...