September 6, 2024 8:00 PM

અમદાવાદમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સ તથા ભૂજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટીક્સ ડ્રગ્સ જપ્ત કરાયું..

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના વટવા જીઆઇડીસીમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે. અગાઉ મળેલી બાતમીના આધારે, ઓડિશાથી આવતી શંકાસ્પદ ટ્રકની તપાસ કરાતાં તેમાંથી વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ ગાંજો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઉપયોગમાં લેવાયેલ ટ્રક, મુદ્દામાલ તેમજ મોબાઇ...

September 6, 2024 7:58 PM

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી ...

September 6, 2024 7:54 PM

રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરાઇ

રાજ્ય સરકારે શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરી છે. શિક્ષકોની ભરતી પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૨૫ સપ્ટેમ્બરનાં રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત, ૧૦ ઓક્ટોબરનાં રોજ પ...

September 6, 2024 8:05 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દીલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અનેવિ...

September 6, 2024 7:49 PM

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં પીએલઆઇ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિતરાહત યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસોકરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં નવકલ્પના માટેવિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રિય કાપડમંત્રી ગીરીરાજસિં...

September 6, 2024 7:47 PM

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC મહત્વની પહેલ

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે,ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર મહત્વની પહેલ છે. કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાંયોજાયેલ ભારત-મધ્યપૂર્વ વેપાર સંમેલનમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારતજી-20 સ...

September 6, 2024 7:44 PM

કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજીક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો

કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજીક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતી મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ પગલાથી ગ્રામીણક્ષેત્રમાં સેવાઓની વ્યવસ્થા મજબૂત થશે. લોકો સાથેનો સંપર્ક વધશે તેમજ સ્થાનિકક્ષેત્રોમાં વિક...

September 6, 2024 7:56 PM

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના પ્રવીણકુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં એશિયઆઇ વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સના નવમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં 2.08 મીટરનો એશિયન વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ટોકિયો પેરાલિમ્પિક્સમાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતે છ સુવર્ણચંદ્રક, નવ રજત ચંદ્રક અને 11કાંસ્ય ચં...

September 6, 2024 7:39 PM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, સંવત્સરીનું પર્વ ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. ગણેશ ચતુર્થીના પર્વની શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, ગણપતિ બ...

September 6, 2024 7:37 PM

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, કલમ 370 હવે ઇતિહાસનો ભ...