September 7, 2024 7:48 PM

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં  આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય,...

September 7, 2024 7:47 PM

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળામાં લાખો ભક્તો મા અંબાના ચરણમાં શિશ ઝુકાવવા પહોંચે છે, ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર મિહિર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. તેમણે કહ્યું હતું કે, માઇ ભક્તો સરળતાથી અંબાજી પહોંચ...

September 7, 2024 7:41 PM

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્યારબાદના છ દિવસ દરમિયાન વરસાદની શક્ય...

September 7, 2024 7:40 PM

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4 કરોડ 64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી-કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો...

September 7, 2024 7:38 PM

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુ દ્વારા આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો રોજબરોજની સમસ્યાનો સામનો સકારાત્મક રીતે કરી શકે તે ઉદ્દેશથી આ હેકાથોનનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં 450થી વધુ વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.

September 7, 2024 7:37 PM

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ મેળામાં યોજાયેલ ગ્રામ...

September 7, 2024 7:35 PM

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી 35 વર્ષની વય ધરાવતા યુવક–યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક દિવસીય ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14  થી 18 વર્ષના યુવક-યુવતી માટે રાજકોટના ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડરીયો ગઢ તેમજ 1...

September 7, 2024 7:34 PM

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોને સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ દરમિયાન તેમને કાળા તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા હતા. સામાન્ય રીતે આ પક્ષી કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતુ નથીઆ ઉપરાંત પચરં...

September 7, 2024 7:33 PM

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ- ૨૦૨૪માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો

સુરત શહેરે ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે અંતર્ગત આજે જયપુરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુરત શહેરને ‘નેશનલ ક્લીન એર સિટી’ એવોર્ડ સહિત ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયું.. આ સન્માન સુરત શહેરન...

September 7, 2024 7:31 PM

ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને ...