September 15, 2024 7:47 PM

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતાં, ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ ઉપરાંત 32 હજાર મકાનોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધારાના મકાનો ...

September 15, 2024 7:45 PM

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે લોકો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. પ્રશાસને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત નાજુક છે. હૈતીના પ્રધાનમંત્ર...

September 15, 2024 7:45 PM

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક નિવેદનમાં પોલિસે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ છુપાયો હોવાની ચોક્કસ માહિતીને આધારે બાની વિસ્તારમાં પોલીસ અને સલામતી દળોની સંયુક્ત ટૂકડીએ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હોવાનાં અહેવા...

September 15, 2024 7:41 PM

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે. ગયા મહિને, અદાલતે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસની સૂઓમોટો ધ્યાને લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયા...

September 15, 2024 7:40 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. ...

September 15, 2024 7:39 PM

ભારતીય બેડમિન્ટન ખેલાડી અનમોલ ખરબે બેલ્જીયન ઇન્ટરનેશનલની ફાઇનલમાં વિજય મેળવીને સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો

ભારતના ઊભરતા બેડમિન્ટન સ્ટાર અનમોલ ખરબે લુઅવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો હતો. 17 વર્ષીય અનમોલે ડેન્માર્કની અમેલી સ્કુલ્ઝને 24-22, 12-21, 21-10 થી હરાવી હતી. અનમોલ માટે આ સિધ્ધિ અસાધારણ છે કારણ કે તે ક્વોલિફાયર્સ દ્વારા મુખ્ય ડ...

September 15, 2024 7:38 PM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની...

September 15, 2024 7:19 PM

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે મંગળવારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે ...

September 15, 2024 7:18 PM

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો હતો, હવે વરસાદ બંધ થતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મેટલ પેચવર્ક પુર્ણ થઈ ગયું છે અને ડામર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧ કિલોમીટરનો રોડ...

September 15, 2024 7:18 PM

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું હતું. જેમાં અમાદાવાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી, લગ્નની તકરારના, ચેક રિટર્ન અને પ્રિ-લિટીગેશનના કુલ 1 કરોડ 23 લાખ 960 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ 395 કરોડની રકમના કેસોનો નિકાલ કરાયો હત...