September 17, 2024 3:11 PM

અમદાવાદ-ભુજ બાદ આગામી સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘નમો ભારત રેપિડ રેલ’ શરૂ થવાની સંભાવના

અમદાવાદ-ભુજ બાદ આગામી સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘નમો ભારત રેપિડ રેલ’ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા-સુરતને પણ રેપિડ રેલથી જોડવા વિચારણા ચાલી રહી છે. 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની અંદાજિત ઝડપે દોડનારી આ ટ્રેનથી અમદાવાદ-વડોદરાનું અંતર 70 મિનિટમાં જ કાપી લેવાશે. અમદાવાદ-ભુજ વચ્ચે રોજની એક...

September 17, 2024 6:48 PM

પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે, સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ 'વિક્સિત ભારત' તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ ...

September 17, 2024 3:00 PM

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરીને સલામત ભારત બનાવ્યું છે. શ્રી શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં આજે સંવાદદાતા સંમેલન સંબોધિત કરતા કહ્યું કે, પહેલા 100 દિવસમાં જ 15 લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સને મંજૂરી આપી છે. તે...

September 17, 2024 2:56 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમૃત સરોવરોનું નિર્માણ કરાયું તેમ જ અનેક જળાશયોને પુનઃર્જીવિત કરાયા હતા. સુશ્રી મુર્મૂએ કહ્યું, ભારતીય પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષો પહેલા જળ સંરક્ષણનો ઉલ્લેખ છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કર...

September 17, 2024 2:54 PM

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિષિ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિષિ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આપ ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર અન્ય નેતાઓએ સહમતી દર્શાવી હતી. અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ...

September 17, 2024 2:53 PM

સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો આજથી દેશભરમાં પ્રારંભ

સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો આજથી દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન 2જી ઑક્ટોબર સુધી ચાલશે. આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા છે. ઝુંબેશમાં શ્રમદાન અને સામૂહિક કાર્યવાહી દ્વારા પ્રવાસન સ્થળો, જાહેર ઇમારતો, વ્યાપારી વિસ્તારો, જળ સંસ્થાઓ, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્યો અને સામુદાયિક ત...

September 17, 2024 2:52 PM

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. તે ઉચ્ચસ્તરીય દ્વીવાર્ષિક સંમેલન છે, જે નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ કુટનૈતિક, સંચાલન અને વહીવટીય મુદ્દાઓ અંગે વિચાર- વિમાર્શની તકો પૂરી પડે છે. આ સંમેલન પશ્ચિમ એશિયાની ઉભરતી ભૂ-રાજકીય અને ભૂ-કુટનૈતિક ગતિશીલતા, પ્રાદ...

September 17, 2024 2:50 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મતવિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે આઠ જમ્મુમાં છે. પ્ર...

September 17, 2024 2:48 PM

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાંથી આજે બપ્પાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં વિસર્જનને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ તરફ બૃહદ મુંબઈ કોર્પોરેશને અનંત ચતુદર્શીના અવસર પ્રસંગ...

September 17, 2024 2:47 PM

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીયમંત્રી જીતનરામ માંઝી ગયાના વિષ્ણુપદ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં 15 દિવસીય પિતૃપક્ષ મેળાનું ઉદ્ઘાટન કરશે. હિંદુ પરંપરા અનુસાર પિતૃ પક્ષના 15 દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં દેશભર માંથી લાખો લોકો આવે છે. અહિયાં...