September 26, 2024 3:44 PM

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો...આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા જેવી રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.. લોક ફરિયાદોના ઉકેલ માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.. સાથોસાથ આ તમામ ...

September 26, 2024 3:40 PM

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. આજના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, નવસારી, તાપી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહ...

September 26, 2024 3:37 PM

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 1 થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જ...

September 26, 2024 3:30 PM

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂં...

September 26, 2024 3:11 PM

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે ...

September 26, 2024 2:51 PM

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે. મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં, ભારતીય શટલર તસનીમ મીરનો મુકાબલો આજે જાપાનની ચોથી ક્રમાંકિત ટોમોકા મિયાઝાકી સામે થશે. મહિલા ડબલ્સમાં, ભારતની ગાયત્રી ગોપીચંદ અને ટ્રી...

September 26, 2024 2:48 PM

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રના સમાવેશ પર જૈવવિવિધતા કરાર તરીકે ઓળખાય છે. આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જ...

September 26, 2024 2:44 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

September 26, 2024 2:36 PM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વ...

September 26, 2024 2:34 PM

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતેત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરત...