July 8, 2024 2:28 PM

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ આજે સવારે સિલ્ચર વિમાન મથકે ઉતર્યા અને ત્યારબાદ મણિપુરના જિરીબામ માટે રવાના થશે. દરમિયાન તેમણે ફુલેરતાલમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી, જ્યાં પૂર અસરગ્રસ્ત લોકોએ શરણ લીધી છે. આસામમાં પૂરને પગલે અંદાજે 23 લાખ લોકોને પ્રભાવિત થય...

July 8, 2024 2:26 PM

દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વીય, પૂર્વોત્તર અને પશ્ચિમી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર અને ઓડિશાના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ મેઘાલયમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શ...

July 8, 2024 2:25 PM

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે

ભારત અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી-2024 થાઈલેન્ડના તાક પ્રાંતમાં ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવા અને બંને દેશોની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે આ કવાયત મહત્વપૂર્ણ છે. સંરક્ષણ જનસંપર્ક કાર્યાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, બંને દેશોના સૈનિકો તાલીમ ...

July 8, 2024 2:22 PM

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ

વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથ યાત્રાનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સંધ્યા બાદ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રા તેમજ ભગવાન સુદર્શનના રથને ગ્રાન્ડ ટ્રન્ક રોડ પર અટકાવી દેવાયા હતા. ખલાસીઓ આજે આ રથોને ખેંચીને તેમને ગુંડિચા મંદિર તરફ દોરી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રથયાત્રામાં મચેલી ન...

July 8, 2024 10:14 AM

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકા...

July 8, 2024 10:09 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતન...

July 8, 2024 8:11 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદ...

July 5, 2024 10:20 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાન...

July 5, 2024 10:16 AM

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે

યુકેમાં ત્રણ મોટા ટીવી નેટવર્ક્સ દ્વારા જાહેર કરાવામાં આવેલા એક્ઝિટ પોલમાં કેઇર સ્ટારમરની આગેવાની હેઠળની લેબર પાર્ટી વિજયી બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. એક્ઝિટ પોલે લેબર પાર્ટીને 209ના ફાયદા સાથે 410 બેઠકો મળે તેવો અંદાજ લગાવ્યો ...

July 5, 2024 10:13 AM

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

હાથરસની દુર્ઘટનામાં ચાર પુરુષો અને બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાથરસ નાસભાગ દુર્ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. મીડિયા સાથે વાતચીત કરતા અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ છ લોકો આયોજક સમિતિના સભ્યો છે અને સેવાદાર તરીકે કાર્યરત છે. આઈજી માથુ...