July 18, 2024 2:09 PM

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંને ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ આર મહાદેવન મદ્...

July 18, 2024 2:06 PM

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે NEET-UG 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોલિસિટર જનરલે અદાલતની ખંડપીઠને જણાવ્યું હતું કે, આ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ કથિત પેપર લીક અને ગેરરિતી કેસમાં ગઈ કાલે સાંજે તેનો બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું ...

July 17, 2024 8:13 PM

યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું – સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ.

યુ​વા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, દેશના યુવાનો ભવિષ્યના નીતિ ઘડવૈયા છે. તેમણે કહ્યું કે, સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા યુવાનોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.કેન્દ્રીય મંત્રીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુવા અને રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કર...

July 17, 2024 8:05 PM

ચાલુ વર્ષ માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2024-25 માટે ખેડુતો માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ યોજનાઓનો લાભ લેવા માટે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતો ફળ પાકોના વાવતેર માટે 15 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.ઉલ્લેખનીય છે કે, આઇ-ખેડૂત પોર્ટલ પર આંબા, જા...

July 17, 2024 7:49 PM

રાજ્ય સરકારે સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરાઈ હોવાના સમાચારને રદિયો આપ્યો છે

રાજ્ય સરકારે વર્ગ 3 અને વર્ગ 4 સહિત કરાર આધારિત ભરતીને સ્થાને કાયમી ભરતી કરવા તેમજ સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરાઈ હોવાના સમાચારને રદિયો આપ્યો છે.વહીવટી વિભાગના સંયુક્ત સચિવ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં આ સમાચારોને સત્યથી વેગળા કહેવાયા છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ જ...

July 17, 2024 2:40 PM

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,મોદીએ આશા વ્યક્ત કરી કે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ હંમેશા દરેક પર રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ લોકોને નિષ્ઠા, નમ્રતા અને કરુણાથી ગરીબ લોકોની સેવા કરવા માટ...

July 17, 2024 2:32 PM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I”નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુ...

July 17, 2024 2:24 PM

દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે

આજે દેશભરમાં આશુરા-એ-મુહરમના તહેવારને મનાવવામાં આવી રહ્યો છે.સાતમી સદીમાં કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાનાં જીવનું બલિદાન આપનારા મહમ્મદ પૈગંબરનાં પૌત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમનાં સાથીઓનાં બલિદાનની યાદમાં આજના દિવસે શોક મનાવવામાં આવે છે. આ પ્રસંગે તાજીયાનું સરઘસ કાઢવામાં આવે છે. કરબલાનાં શ...

July 17, 2024 2:19 PM

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા.આ શ્રધ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની લ...

July 17, 2024 2:14 PM

દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્યમહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત,કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગે આગામી ચાર દિવ...