July 21, 2024 2:16 PM

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે 3 શ્રદ્ધાળુના મોત થયા

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદાર...

July 21, 2024 2:03 PM

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા છે અને તેમના સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં દૂતાવાસે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 518 ભારતીયોને બચાવ્યા છે. દૂતાવાસે આ મામલે લાઓસ સત્તાધીશોના સહકાર બદલ પણ આભાર માન્યો હતો. તેમણે...

July 21, 2024 2:02 PM

પ્રધાનમંત્રીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ગુરૂપૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના શિક્ષકો અને આદ્યાત્મિક ગુરૂઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસની પણ જયંતી છે. આ પૂર...

July 21, 2024 1:59 PM

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત...

July 21, 2024 1:57 PM

ગુજરાત સહિત 4 રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના ...

July 21, 2024 1:56 PM

પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

આગામી 26મી જુલાઈથી શરૂ થનારી પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. આમાં 24 સશસ્ત્ર દળના જવાન પણ સામેલ થશે, જેમાં જેવલિન થ્રૉઅર સુબેદાર નીરજ ચોપરા તેમ જ 2 મહિલા ખેલાડી પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ઑલિમ્પિકમાં મહિલા સૈન્ય ખેલાડીઓ પહેલી વાર ભાગ લઈ રહ્યાં છે. આ ઉપરાંત રાષ્ટ્રમંડળ ...

July 21, 2024 1:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તેમજ સભાને સંબોધિત કરશે. આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વ...

July 21, 2024 1:51 PM

સંસદના બજેટ સત્ર પહેલા નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હાલમાં ચાલી રહેલી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજીજૂ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, ર...

July 21, 2024 11:56 AM

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્...

July 21, 2024 8:09 AM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાઈરસના કેસોની સમીક્ષા કરી : રાજ્યમાં 71 કેસ સક્રિય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના DGHS અને NCDCના ડિરેક્ટર પ્રૉફેસર ડૉ. અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિઝના નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નોંધા...