July 25, 2024 11:41 AM

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે.

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે. રેલવે ક્ષેત્રમાં ગુજરાતને આપવામાં આવેલી સુવિધા અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વાત કરતાં કહ્યું કે, રાજ્યમાં નવા 224 રેલવે ટ્રેક આ બજેટ અંતર્ગત બનાવવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું, અમદાવાદ—મુંબઈ બ...

July 25, 2024 11:39 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઇએ પ્રસારિત થનારી આ 112મી કડી હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ...

July 25, 2024 11:37 AM

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે.

મહિલા એશિયા કપ ક્રિકેટમાં, આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચ રમશે. બંને મેચ દાંબુલામાં રમાશે. ગઈકાલે દામ્બુલામાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ થાઈલેન્ડને દસ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા થાઈલેન્ડે વીસ ઓવરમાં સાત વિકેટે 93 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ જીતવા ...

July 25, 2024 11:35 AM

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે.

આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે. તરુણદીપ રાય અને પ્રવિણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌર અને બી. ધીરજ આજે વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે. ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે 1 વાગ્યે શર...

July 25, 2024 11:29 AM

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ

ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ પર ઈન્ડિયા ગેટ ખાતે પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાએ નાગરિકોને આ પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં તાકાત, એકતાના પ્રદર્શન સાથે એરફોર્સ બૅન્ડનું વિશેષ પર્ફો...

July 25, 2024 11:27 AM

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને 45 દિવસમાં તેનો અહેવાલ સોંપવા જણાવાયું છે. ગઈકાલે પ્રધાનમંત્રી કે. પી શર્મા ઓલી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વિમાન દુર...

July 25, 2024 11:24 AM

ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે, ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝાના ખાન યૂનિસના પૂર્વીય રહેણાંક વિસ્તારો પર આ હમલો કરાયો હતો, જેને પગલે હજારો લોકોએ શરણ માટે પશ્ચિમ તરફ પલાયન કરવું પડ્યું. ગ...

July 25, 2024 11:22 AM

ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા – હવામાન વિભાગ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત તટિય કર્ણાટક અને ઓડિશાના જુદાજુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડ઼ી શકે છે. આ તરફ દિલ્હીમાં આગામી બ...

July 25, 2024 11:18 AM

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે – પ્રધાનમંત્રી

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઇચ્છાનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશ...

July 25, 2024 11:15 AM

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું

રાજ્યભરમાં ગઈ કાલે અનેક જિલ્લાઓમાં સમગ્ર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે, તો અનેક ડેમો અને જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, રાત્રિ દરમિયાન આ જિલ્લાઓમ...