July 29, 2024 2:32 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

July 29, 2024 11:09 AM

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે ...

July 29, 2024 11:06 AM

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

July 29, 2024 11:01 AM

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131 થઈ, મૃત્યુઆંક 53 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 53 થયો છે અને વધુ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 131 થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીનાં કુલ કેસોમાં સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં નોંધાયા છે. જ્યારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં 12-12 અને અરવલ્લી...

July 29, 2024 10:59 AM

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો

મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિં...

July 28, 2024 8:10 PM

શિક્ષણ મંત્રાલય આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે

શિક્ષણ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS, 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન NEP- 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે. શ્...

July 28, 2024 8:09 PM

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

July 28, 2024 8:08 PM

અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું

પેરિસ ઑલિમ્પિકમાં અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. શ્રી બબુતાએ 630.1 સ્કોર કર્યો હતો. જ્યારે સંદીપ સિંહ 12મા સ્થાને રહેવા માટે ક્વાલિફાય રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.

July 28, 2024 8:07 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો છે. બેંગ્લોરમાં આજે સંવાદદાતાઓ સાથેના સંવાદમાં શ્રીમતી સીતારામણે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન- U.P.A અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ- N.D.A. સરકારના કાર્યકાળ દરમિયાન કર્ણાટકને ફાળવવામાં આવેલી રકમની ...

July 28, 2024 8:06 PM

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે તાલીમ સંસ્થાના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. સંસ્થાના ભોંયરામાં ફસાઈ જવાના કારણે ગઈકાલે ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. નાયબ પોલીસ કમિશનર સેન્ટ્રલ...