July 30, 2024 2:31 PM

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું છે. નદી-નાળાની જળસપાટી વધવાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. ગંગોત્રી હાઈ-વે પર નેતાલા પાસે કાટમાળના કારણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય હાઈ-વે પ...

July 30, 2024 2:27 PM

કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ માળખાકીય ભંડોળ હેઠળ દેશમાં 76 હજાર કરોડ રૂપિયાથી વધુની 72 હજાર માળખાકીય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોનું નુકસાન ઘટાડવા, ખેડૂતો વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકે, કૃષિમાં નવીનતાને પ્રોત્સાહન મળે અને કૃષિના વિકાસ માટે રોકાણ મેળવી શકે ત...

July 30, 2024 2:25 PM

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ

કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હૉસ્પિટલ્સમાં દાખલ કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમ...

July 30, 2024 2:22 PM

સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો MSMEને PLI સ્કીમનો લાભ મળ્યો છે

સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો MSMEને PLI સ્કીમનો લાભ મળ્યો છે. લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે આ માહિતી આપતા જણાવ્યું હતું કે PLI યોજનાઓમાં અત્યાર સુધીમાં એક લાખ 32 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે અને તેને કારણે 8 લાખ 50 ...

July 30, 2024 2:21 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના છે. કેન્દ્રીય અંદાજપત્ર 23 જુલાઇનાં રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે તમામ વર્ગોનાં લોકો માટે તકો ઊભી કરવા નવ પ્રાથમિકતા નક્કી કરી હતી. અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગરી...

July 30, 2024 2:19 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જીડીપી આઠ ટકાના દરે વધી રહી છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે નવી દિલ્હીમાં ‘જર્ની ટુવર્ડ્સ વિકિસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારત રોગચાળા સામે લડ્યા બાદ પણ ન...

July 30, 2024 12:07 PM

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્...

July 30, 2024 11:33 AM

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્...

July 29, 2024 8:38 PM

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહ્યાં

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના અર્જુન બબુતાએ પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. અર્જુન બીજા  ભારતીય શૂટર છે જે આજે મેડલ ચૂકી ગયા છે, મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં રમિતા જિંદાલ  પણ સાતમા  સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં, ચીનના શેંગ લિહાઓએ સુવર્ણ, સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને ...

July 29, 2024 8:32 PM

લેબેનોનમાં ચાલી રહેલા સંઘર્ષના પગલે લેબેનોન સ્થિત ભારતીયોને સાવધ રહેવા ભારતીય દૂતાવાસે ચેતવણી જાહેર કરી

લેબનોન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે આજે એક પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથને ઈઝરાયેલની ચેતવણીથી  સંઘર્ષ વધવાની આશંકા ને પગલે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લેબનોનમાં ભારતીયો અથવા જેઓ લેબનોન જવાની યોજના બનાવી રહ્યા છે તેઓએ બેરુતમાં ...