August 5, 2024 8:14 PM

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 ...

August 5, 2024 8:13 PM

 “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર

અમદાવાદ મહાનગરપાલિકાએ “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર કર્યું છે. મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત 100 દિવસમાં 30 લાખ જેટલા છોડ રોપવાનો લક્ષ્યાંક છે. શ્રી ચૌધરીએ કહ્યું, મહાનગરપાલિકા દ્વારા 15 જૂનથ...

August 5, 2024 8:12 PM

હિંસાગ્રસ્ત બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો

બાંગલાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હોવાનાં અહેવાલ છે.શેખ હસીના લશ્કરનાં હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. લશ્કરના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વચગાળાની સરક...

August 5, 2024 8:07 PM

રાજ્યભરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ – શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આજે સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના પરિસરમાં પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યાએ સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃ...

August 5, 2024 8:05 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8મી ઑગસ્ટે રાજ્યકક્ષાનો “75મો વન મહોત્સવ” દેવભૂમિ દ્વારકા ખાતે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8મી ઑગસ્ટે રાજ્યકક્ષાનો “75મો વન મહોત્સવ” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી 23મા સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન”નું પણ લોકાર્પણ કરશે. આ રીતે જિલ્લાને "હરસિદ્ધિ વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી હોવાનુંવન વિભાગે જણા...

August 5, 2024 8:08 PM

સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે 5મી ઓગસ્ટે સંસદેકલમ 370 અને 35(A) નાબૂદ કરવાનો નિર્ણયલીધો હતો, જે દેશના ઈતિહાસમાં એક યાદગાર ક્ષ...

August 5, 2024 7:56 PM

અમેરિકામાં મંદીનાં ભયને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અઢી ટકાથી વધનો ઘટાડો

અમેરિકામાં મંદીનાં ભયને પગલે સોમવારે ભારતના ઇક્વિટી સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. સેન્સેક્સ 2 હજાર 222 પોઇન્ટ ઘટીને 78 હજાર 759 અને નિફ્ટી 662 પોઇન્ટ ઘટીને 24 હજાર 55 પર બંધરહ્યો હતો. શેરબજારમાં તીવ્ર કડાકાને પગલે રોકાણકારોને 16 લાખ કરોડ રૂપિયાનુંનુકસાન થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઇનું ...

August 5, 2024 7:54 PM

પેરિસઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં, આજે 11મા દિવસે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચ્યો હતો.મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ટીમેરોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.મનિકા બત્રા તેની બંને સિંગલ્સ મેચ જીત્યાં અને શ્રીજા અકુલ અને અર્ચના કામતે ડબલ્સમેચમાં વિજય મેળવ્યો. કુશ્તીમાં નિશા દ...

August 5, 2024 3:29 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફૉનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ બંને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લ...

August 5, 2024 3:27 PM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જળસંગ્રહ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં 61 ટકા જળ સંગ્રહ નોંધાયો છે. ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભર...