August 10, 2024 3:33 PM

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઇ હતી

આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઇ હતી. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિત 11 જિલ્લામાં 11,000 થી વધુ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી, ચિત્ર સ્પર્ધા, ફોટો પ્રદર્શન અને પ્રતિજ્ઞા પત્ર સહિતના ક...

August 10, 2024 3:29 PM

રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો...

August 10, 2024 3:28 PM

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ દમણ નગરપાલિકા દ્વારા 104 ફિટ લંબાઈ ધરાવતા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ. દરમિયાન બીચની સફાઈ પણ કરવામાં આવી હતી. ગીરસોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં કન્યાશાળાથી ગામન...

August 10, 2024 3:26 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરુ...

August 10, 2024 2:19 PM

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા. પરાનાથી સાઓ પાઉલો જઈ રહેલું વિમાન વિન્હેડો નગરનાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડતાં એક મકાનને નુકસાન થયું હતું. જોકે, ત્યાં રહેતા લોકોને કોઈ ઈજા થઈ ન હતી. ઘટના સ્થળેથી ફ્લાઇટ રેકોર્ડર મળી આવ્યું છે.

August 10, 2024 2:17 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પછી અને લોકસભાએ નાણા ખરડો પસાર કર્યાના દિવસો પછી યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભારતીય રિઝર્...

August 10, 2024 2:15 PM

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે જેઓ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દરેક આતંકવાદી પર પાંચ લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરાયું છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની વિશ્વસનીય માહિત...

August 10, 2024 2:14 PM

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્...

August 10, 2024 2:12 PM

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને આગળ ધપાવશે.. આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. અમારા પ્...

August 10, 2024 2:11 PM

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધુ છે. સંરક્ષણ પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને નવીનતામાં નવો માપદંડ સ્થાપિત કરવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્...