August 20, 2024 7:15 PM

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો :સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો ૨૧ જુદા- જુદા સ્થળે...

August 20, 2024 7:12 PM

એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમની ગુજરાતની ચાલીરહેલી સેવાની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 280...

August 20, 2024 4:03 PM

NFSU ગાંધીનગર, ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ના ઉપલક્ષ્યમાં એક દિવસીય ‘વર્કશોપ’ યોજાયો

ભારતમાં ગત વર્ષે 'ચંદ્રયાન-૩' મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે ૨૩મી ઓગસ્ટે 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર, ખાતે 'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં એક દિવસીય 'વર્કશોપ' યોજાયો હતો

August 20, 2024 4:01 PM

નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા

ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા છે. આ બે યુવાનો સુરતના લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના હતા. આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

August 20, 2024 3:59 PM

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે ખેતી નિયામકની સાઇટ પર જ...

August 20, 2024 7:10 PM

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 23 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવસ...

August 20, 2024 3:56 PM

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબેને ઓલ ઈન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીનાં દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત કરી હત...

August 20, 2024 3:54 PM

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઇસરો, પીઆરએલ, નાઇપર તેમજ IIT-ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સીટી, આંબેડકર યુનિવર્સીટી જેવી ૨૦ જેટલી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞ...

August 20, 2024 3:52 PM

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર 21 થી 23 એમ ત્રણ દિવસનુ રહેશે.. આ ત્રણ દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે.. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય- સામાજીક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસા...

August 20, 2024 2:39 PM

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ...