September 23, 2024 7:32 PM

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે. દરમિયાન વરિષ્ઠ અધિક્ષક દરેક ફરિયાદને વ્યક્તિગતરૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરાશે. ફરિયાદીઓએ અમદાવાદની ટપાલ કચેરીની ટપાલ, મની ઑર્...

September 23, 2024 7:32 PM

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી નીમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. હવે રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે. ઉલ્લેખનીય છે કે અન્નપૂ...

September 23, 2024 7:30 PM

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે. પ્રમુખે નગરપાલિકા અગ્નિશમન દળ પાસે હાલમાં અગ્નિશમન માટે પાંચ વાહનો છે, પરંતુ મરામતના કારણે તેમાંથી ચાર વાહન બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું: ‘નગરપાલિકા પાસે 2 હજાર 500 લિટર પાણીવાળા 2 ...

September 23, 2024 7:29 PM

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 વર્ષથી ઓછી વયજૂથના ભાઈઓની આ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમોએ ભાગ લીધો છે. પાટણ જિલ્લા રમતગમત સંકુલ અને કોલેજ કેમ્પસના મેદાનમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ ગઇકાલથી શરૂ થઈ છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્પર્ધાને અંતે સારા ખેલા...

September 23, 2024 7:27 PM

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધી અમદાવાદની 450 જેટલી શાળાઓના અંદાજિત એક લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે, જેમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાઓમાં સ્વચ્છતા રેલી, ક્વીઝ, રંગોળી, ચિત્ર સ્પર્ધા, સ્લોગન-નિબંધ સ્પર્ધા, સહ...

September 23, 2024 7:26 PM

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આકાશવાણી અમદાવાદ દ્વારા અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. તે અંતર્ગત આકાશવાણી અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર પરિસરમાં સફાઇ કરી સુકો કચરો એકઠો કર્યો હતો. આ અભિયાનમાં આક...

September 23, 2024 7:22 PM

રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની ન્‍યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો છે

રાજ્યના ગૃહ વિભાગ હસ્તકની ન્‍યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં વિવિધ નમૂનાઓનું પૃથ્થકરણ તેમજ તાલીમ માટેની ફીમાં વધારો કરાયો છે. હવે દર 2 વર્ષે નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીમાં 10 ટકાનો વધારો કરાયો છે. આ નવા દર પહેલી સપ્ટેમ્બર 2024થી અમલી થયા હોવાનું ગૃહ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે. આ પ્ર...

September 23, 2024 7:21 PM

ખેડા જિલ્લાના વસો કૃષિ મહાવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું

ખેડા જિલ્લાના વસો કૃષિ મહાવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ ઉજવણી નિમિત્તે કૃષિ પ્રયોગશાળાના સંશોધનોને ‘લેબ ટુ લેન્ડ’ ના સિદ્ધાંત મુજબ જમીન પર ઉતારી ખેડૂત-ઉપયોગી બનાવવા સૂચન કર્યું...

September 23, 2024 7:19 PM

સુરતમાં કિમ-કોસંબા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં NIA અને ATS દ્વારા કરાયેલી તપાસમાં ફરિયાદી રેલવેકર્મી સુભાષ પોદ્દાર જ આરોપી નીકળ્યો છે

સુરતમાં કિમ-કોસંબા રેલવે ટ્રેક પરથી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ઘટનામાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIA અને આતંકવાદ વિરોધી ટુકડી - ATS દ્વારા કરાયેલી તપાસમાં ફરિયાદી રેલવેકર્મી સુભાષ પોદ્દાર જ આરોપી નીકળ્યો છે. આ અંગે ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે માહિતી આપતાં કહ્યું, કે રેલવે ટ્રેક પર પેડલૉક કાઢી...

September 23, 2024 7:16 PM

ભાવનગરના ડૉક્ટર તેજસ દોશીએ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાની જવાબદારી ઉઠાવી છે

ભાવનગરના ડૉક્ટર તેજસ દોશીએ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાની જવાબદારી ઉઠાવી છે. તેઓ છેલ્લા એક દાયકાથી સ્વચ્છતા હી સેવાના મંત્રને અનુસરીને આ માટે કામ કરી રહ્યા છે. તેમની કામગીરી જોઈને વર્ષ 2019માં તેમને ભાવનગર માટે ‘સ્વચ્છ ભારત મિશન – ભારત સરકાર’ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવાયા છે. ડૉ. તેજસ દોશીએ અગાઉ રસ્ત...