August 22, 2024 8:22 PM

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં GHCL ફાઉન્ડેશન દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું.. આ ઉપરાંત, ખેડુતોની આવક વૃદ્ધિ માટે રાહત દરે 18 હજાર ફળ પાકોનાં રોપાઓનું 300થી વધારે ખેડુતોને વિતરણ કરવામાં આવ્યું.. મ...

August 22, 2024 8:20 PM

રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો

રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી. દિવ્યાંગતા અંગેના પરીક્ષણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, UDID કાર્ડ, દિવ્યા...

August 22, 2024 8:17 PM

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજ...

August 22, 2024 8:11 PM

બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની હાલની પોણા ચાર મીટરની પહોળાઈને વધારીને 7 મીટર કરીને તેને દ્વિ-માર્ગીય બનાવવામાં આવશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃ...

August 22, 2024 8:03 PM

હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી

ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે આગામી સાત દિવસમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, બિહાર સહિત સાત રાજયોમાં 26...

August 22, 2024 8:00 PM

મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર – JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ

કેન્દ્રિય બંદર અને વહાણવટા વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર - JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ કર્યું છે. તેમણે સંબંધિત વિસ્તારમાં પર્યાવરણીય સંતુલનને પ્રોત્સાહન આપતા જળસંગ્રહના ત્રણ સ્થાનોનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્...

August 22, 2024 7:58 PM

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે આજે દિલ્હીમાં યોજાયેલા સીઆઇઆઇ ભારત – આફ્રિકા વેપાલ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે આફ્રિકામાં આરોગ્ય સંભાળ સેવા અદ્યતન બનાવવા ભ...

August 22, 2024 7:56 PM

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે. આ બેઠકમાં ઉગ્રવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં સંઘર્ષ વિરામની શકયતાઓ અંગે ચર્ચા કરાશે. દરમ્યાન, ઇજીપ્તના મધ્યસ્થીથી આ સપ્તાહમાં યોજાનારી શાંતિમંત્રણાની સફળતા અંગે ઇઝરાયેલના વલણના કારણે પ્રશ્નનચિન્...

August 22, 2024 7:53 PM

મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસને ઠપકો આપ્યો

મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસ દ્વારા થયેલી ત્રુટીઓ માટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપ્યો છે. વડી અદાલતના ન્યાયાધિશ રેવતી ડેરે અને પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે સંબંધિત ગુનાની જાણકારી આપવામાં શાળાના સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાનું અવલોક...

August 22, 2024 7:50 PM

પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે

પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે. રસ ધરાવતા લોકો નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in પર જઈને તેમના નામાંકન મોકલી શકે છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે એક યાદીમાં જણાવ્યું હતું કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી જેવા પદ્મ પુરસ્ક...