August 23, 2024 8:46 AM

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે.

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે. રાજકોટ ડિવિઝને 50 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે. રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 56 ઇન્ટરલોક સ્ટેશનમાં...

August 23, 2024 8:43 AM

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમા...

August 23, 2024 8:41 AM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની 24 વર્ષીય જીનલ બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યુ કે, જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવર, આંખો અને ચામડીનું જરૂ...

August 23, 2024 8:39 AM

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશ...

August 23, 2024 8:37 AM

દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રક...

August 23, 2024 8:31 AM

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે.

પશ્ચિમ ભારત માટેની ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગનો આવતીકાલથી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રારંભ થશે. ચાર દિવસની આ લીગ 27 ઑગસ્ટ સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના મહિલા એથલિટ ભાગ લેશે. જેનું જીવંત પ્રસારણ ખેલો ઇન્ડિયા વિમન્સ લીગની યુટ્યૂબ ચે...

August 23, 2024 8:30 AM

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે...

August 23, 2024 8:26 AM

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગત માસમાં ઇજિપ્તના કાહિરામાં વિશ્વ બોકિયા ચેલેન્જર સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય એથલિટ સાથે મુલાકાત કરી હતી. ડૉક્ટર માંડવિયાએ એથલિટને તેમના સારા પ્રદર્શન બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતે આ ચેમ્પિયનશીપમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક સહિત કુલ પાંચ ચંદ...

August 23, 2024 8:24 AM

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.નીરજે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.48 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.જ્યારે પીટર્સ એન્ડરસેન 90.61 મીટર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. નીરજ ચોપડા પાંચમી વાર ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યા છે.

August 23, 2024 8:22 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અ...