સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સરદાર સરોવર ડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયો છે. ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમના નવ દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા ડેમ ઓવરફલો થયો છે, ત્યારે રાત્રી દરમિયાન ડેમના લાઈટ ડેકોરેશનનું અદભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
એક તરફ સરદાર પટેલની પ્રતિમા પર લેશર શો ચાલે છે તો બીજી તરફ નર્મદા ડેમના લાઇટિંગ ડેકોરેશન સાથેનું દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
Site Admin | August 13, 2024 11:07 AM | aakshvaninews
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાના સરદાર સરોવર ડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયો છે