લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે આ યોજનાને સંપૂર્ણપણે વિચારકરીને ઘડેલી યોજના બતાવી છે, જેમાં મંત્રાલયો અને સરકારીવિભાગોમાં નિપુણતા અને કૌશલ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.શ્રી ગાંધીએ સોમવારે ટ્વિટર પર લખ્યું છે કે, લેટરલ એન્ટ્રી સ્કીમ દલિતો, ઓબીસી અને આદિવાસી પર હૂમલો છે. ગઇ કાલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે કોંગ્રેસે કરેલી ટીકાને દંભ ગણાવતા જણાવ્યું હતું કે, લેટરલ એન્ટ્રીની યોજના સૌ પ્રથમ ખુદકોંગ્રેસનાં વડપણ હેઠળની યુપીએ દ્વારા રજૂ કરવામાં આવી હતી
Site Admin | August 19, 2024 8:04 PM
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી