રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે.
પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના ચાલી રહેલા પીવાના અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યા પછી આ મુજબ જણાવ્યું હતું. તેમણે પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી.
તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે. વિવિધ વિકાસ કામો અંગે મંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
Site Admin | September 20, 2024 7:37 PM | સુજલામ- સુફલામ
રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે