July 20, 2024 7:24 PM

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિદ્વારકા ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ ઉજવાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41 હજાર 619 રોપાઓનું વાવેતર કરાયું છે.

આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, આઠ મહાનગરપાલિકાકક્ષાએ, 250 તાલુકાકક્ષાએ તેમ જ 5 હજાર 500 ગ્રામીણકક્ષાએ ‘75મો વન મહોત્સવ’ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે વિવિધ 22 સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.