September 19, 2024 3:19 PM | મહીસાગર

printer

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું.
ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારી, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.