પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. PM-કિસાન યોજનાનો 17મો હપ્તો આ વર્ષે જૂનમાં 9.26 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમની જારી કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.. કેન્દ્રીય મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે કુલ 51 હજાર 849 પ્રશિક્ષિત કૃષિ સખીઓમાંથી 34 હજાર 973 ને એગ્રીકલ્ચર પેરા-વિસ્તરણ કાર્યકર પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.
Site Admin | July 30, 2024 8:10 PM | પીએમ-કિસાન યોજના
પીએમ-કિસાન યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 3.24 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું