આજે ભાઇ બહેનના અપાર અને નિઃસ્વાર્થ સ્નેહનુ પર્વ રક્ષાબંધન ઉત્સાહ અને ઉમંગ
અને આદરભાવ સાથે ઉજવાઇ રહ્યું છે. ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને
ઉજવણી કરવામાં આવી હતી.. ભાજપની મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને
પહોંચીને મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના બાળકોએ શ્રીમદ્ ભગવદ્
ગીતાના શ્લોક લખેલી ૧૪૦ ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.
Site Admin | August 19, 2024 3:10 PM
ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી