કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ, આજે અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. આ સાથે મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું. ખજૂરી ગામના ગ્રામજનોએ, લોક ભાગીદારીથી 5,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે. 30 કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે 2,000 જેટલા વૃક્ષનું ગ્રામજનો વાવેતર કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમ દરમિયાન 1,000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.
Site Admin | August 18, 2024 7:31 PM
કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવીયાએ અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું