ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. શ્રી ધનખડ આવતીકાલે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યભરની 434ITI માં બંધારણ મંદિરોનું ઉદ્ઘાટન કરશે. આ બંધારણ મંદિર બંધારણના ઉપદેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરના વિચારોના પ્રસારને સરળ બનાવવા માટે રચાયેલ છે. ઉપરાષ્ટ્રપતિ એજ દિવસે નાગપુરમાં રામદેવબાબા યુનિવર્સિટીમાં ડિજિટલ ટાવરનું ઉદ્ઘાટન પણ કરશે.
Site Admin | September 14, 2024 1:52 PM
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે