આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સહિત આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ આજે નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે જાહેર સભાને સંબોધી હતી. શ્રી કેજરીવાલે કહ્યું કે તેમણે નૈતિક કારણોસર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને સત્તાનો કોઈ લોભ નથી અને તેમની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કામ કર્યું છે. શ્રી કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સરકારી એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની જાહેરસભાને નાટક ગણાવ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ જણાવ્યું હતું કે આ અરવિંદ કેજરીવાલનું બીજું નાટક છે. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બધું કરી રહી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સામે આરોપો ઘડવામાં આવ્યા છે, માત્ર કેસ પેન્ડિંગ છે. દરમિયાન, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેજરીવાલને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી કારણ કે કોર્ટે તેમના પર નિયંત્રણો લાદ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા છે અને કેજરીવાલે તેનો જવાબ આપવો પડશે.
Site Admin | September 22, 2024 7:42 PM
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી