આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ

આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંત ચતુર્દશી છે. દસ દિવસ બાપ્પાની પૂજા, અર્ચના અને આરાધના બાદ આજે સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ભક્તો ભારે હૈયે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો, નગરો અને ગામડાઓમાં આ વિસર્જન થઇ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત સુધી તળાવો, કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવશે.
બીજી તરફ, તાપી જિલ્લામાં અલગ અલગ મંડળો દ્વારા 500થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વ્યારા શહેર અને જિલ્લામાં 750 જેટલા પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે.
જામનગર, સુરતમાં ઠેર- ઠેર ગણેશ ભક્તો દ્વારા ગણપતિની પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.