અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે. જમ્મૂ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનિલ કૌલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને “છડી મુબારક” કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને 43 દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો. 29 વર્ષો પૂર્વે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ઘણા વર્ષો બાદ આ વર્ષે આટલી મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા. સત્તાવાર આકંડાઓ પ્રમાણે આ વર્ષે અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી અને ભગવાન શિવ સમક્ષ પોતાની આસ્થા પ્રગટ કરી.
Site Admin | August 19, 2024 11:24 AM | aakshvani | AmarnathYatra
અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે